સોમવારે રાત્રે ઈડન ગાર્ડન્સમાં રમાનારી KKR અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. બંને ટીમોને 1-1 પોઈન્ટ વહેંચવામાં આવ્યો, પરંતુ અસલી ડ્રામા મેચ બાદ શરૂ થયો. પંજાબ કિંગ્સે તેમના સત્તાવાર હેન્ડલ પરથી શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરનો એક વિડિયો શેર કર્યો, જેમાં તે KKR ના ચાહકોની મજાક ઉડાવતી જોવા મળી હતી.
શું કહ્યું શ્રેષ્ઠા અય્યરે?
વિડિયોમાં શ્રેષ્ઠાએ KKR ને નિશાન બનાવતા કહ્યું કે, પંજાબે તેમને એક પોઈન્ટ ‘દાન’માં આપ્યો છે. તેણે મજાક કરતા ઉમેર્યું:
“અમે પંજાબીઓ મોટા દિલના છીએ, જાઓ એક પોઈન્ટ લો અને એન્જોય કરો.”
મેચ રદ થયા બાદ નિરાશ થયેલા KKR ફેન્સ માટે આ મજાક અસહ્ય બની ગઈ છે. KKR ના સમર્થકોએ આ વિડિયોને ‘નિમ્ન કક્ષાનો’ (Cringe) અને ‘ટ્રોફી વગરનું વર્તન’ ગણાવીને પંજાબ કિંગ્સ અને શ્રેષ્ઠા પર માછલા ધોવાનું શરૂ કર્યું છે.
KKR vs PBKS: વધતી જતી દુશ્મની
છેલ્લા કેટલાક સમયમાં આ બંને ટીમો વચ્ચેની હરીફાઈ ઘણી વધી ગઈ છે:
- ઈતિહાસ: 2014 ના આઈપીએલ ફાઈનલમાં KKR એ પંજાબને હરાવીને ટ્રોફી જીતી હતી, જેનો બદલો પંજાબ હજુ સુધી લઈ શક્યું નથી.
- શ્રેયસ અય્યરનું કનેક્શન: KKR ને ચેમ્પિયન બનાવ્યા બાદ શ્રેયસ અય્યર મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સમાં જોડાયો હતો. પંજાબે તેને ₹26.75 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો. શ્રેયસના નેતૃત્વમાં પંજાબ ગયા વર્ષે ફાઈનલ સુધી પહોંચ્યું હતું.
- રેકોર્ડ: છેલ્લી 10 મેચોમાં બંને ટીમોનો રેકોર્ડ 5-5 ની બરાબરી પર છે. 2024 માં પંજાબે આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ (262 રન) કોલકાતા સામે જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.
પોઈન્ટ ટેબલમાં સ્થિતિ
પંજાબ કિંગ્સ અત્યારે આઈપીએલ 2026 માં શાનદાર ફોર્મમાં છે. 3 મેચ બાદ તેમના 5 પોઈન્ટ છે. પંજાબની આગામી મેચ શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે, જ્યારે કોલકાતા આ ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





